પોસ્ટ્સ

શ્રી વિષ્ણુ 108 નામ

છબી
  ૐ વિષ્ણવે નમઃ ૐ લક્ષ્મીપતયે નમઃ ૐ કૃષ્ણાય નમઃ ૐ વૈકુણ્ઠાય નમઃ ૐ ગરુડધ્વજાય નમઃ ૐ પરબ્રહ્મણે નમઃ ૐ જગન્નાથાય નમઃ ૐ વાસુદેવાય નમઃ ૐ ત્રિવિક્રમાય નમઃ ૐ દૈત્યાન્તકાય નમઃ   ૐ મધુરિપવે નમઃ ૐ તાર્ક્ષ્યવાહનાય નમઃ ૐ સનાતનાય નમઃ ૐ નારાયણાય નમઃ ૐ પદ્મનાભાય નમઃ ૐ હૃષીકેશાય નમઃ ૐ સુધાપ્રદાય નમઃ ૐ માધવાય નમઃ ૐ પુણ્ડરીકાક્ષાય નમઃ ૐ સ્થિતિકર્ત્રે નમઃ   ૐ પરાત્પરાય નમઃ ૐ વનમાલિને નમઃ ૐ યજ્ઞરૂપાય નમઃ ૐ ચક્રપાણયે નમઃ ૐ ગદાધરાય નમઃ ૐ ઉપેન્દ્રાય નમઃ ૐ કેશવાય નમઃ ૐ હંસાય નમઃ ૐ સમુદ્રમથનાય નમઃ ૐ હરયે નમઃ   ૐ ગોવિન્દાય નમઃ ૐ બ્રહ્મજનકાય નમઃ ૐ કૈટભાસુરમર્દનાય નમઃ ૐ શ્રીધરાય નમઃ ૐ કામજનકાય નમઃ ૐ શેષશાયિને નમઃ ૐ ચતુર્ભુજાય નમઃ ૐ પાઞ્ચજન્યધરાય નમઃ ૐ શ્રીમતે નમઃ ૐ શાર્ઙ્ગપાણયે નમઃ   ૐ જનાર્દનાય નમઃ ૐ પીતામ્બરધરાય નમઃ ૐ દેવાય નમઃ ૐ સૂર્યચન્દ્રવિલોચનાય નમઃ ૐ મત્સ્યરૂપાય નમઃ ૐ કૂર્મતનવે નમઃ ૐ

આવનાર તહેવાર ડાયરી કેલેન્ડર 2020

છબી
  આવનાર તહેવાર ડાયરી કેલેન્ડર ૧૬/૧૦/૨૦૨૦ શુક્રવાર અધીકમાસ પૂણઁ. ૧૭/૧૦/૨૦૨૦ શનીવાર નવરાત્રી પ્રારંભ ૨૪/૧૦૨૦૨૦ શનીવાર  નવરાત્રી આઠમ ૨૫/૧૦/૨૦૨૦ રવીવાર નૈવેધ્ય નવરાત્રી પૂણઁ ૨૫/૧૦/૨૦૨૦ રવીવાર દશેરા* (નોમ દસમ ભેગા)* ૩૧/૧૦/૨૦૨૦ શનીવાર શરદપૂનમ ૧૨/૧૧/૨૦૨૦ ગુરુવાર વાધબારસ ૧૩/૧૧/૨૦૨૦ શુક્રવાર ઘનતેરસ ૧૪/૧૧/૨૦૨૦ શનીવાર કાળી ચૌદશ-દિવાળી  ૧૫/૧૧/૨૦૨૦ રવીવાર અમાસ - પડતર દિવસ ૧૬/૧૧/૨૦૨૦સોમવાર* નૂતનવષઁ વિ.સં-૨૦૭૭* અને  *ભાઇબીજ  બંન્ને ભેગા* ૧૯/૧૧/૨૦૨૦ ગુરુવાર લાભપાંચમ  ૩૦/૧૧/૨૦૨૦ સોમવાર દેવદિવાળી ઉપરોક્ત તહેવારો નો કાયઁક્રમ અલગ થી save કરજો જેથી તરત કામ લાગે.🌹

રાંદલમાતા ના લોટા કેમ તેડીએ છીએ?.

છબી
  રાંદલમાતા ના લોટા કેમ તેડીએ છીએ?.  ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે, તો ચાલો આજે જાણીયે માં રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ. રાંદલ માતાજીને રન્નાદે-સંજ્ઞાદેવી-રાણલદે-રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્‍ની અને યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઇ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઇચ્‍છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતી સૂર્યને પોતાની ઇચ્‍છા – હઠ ત્‍યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઇપણ દેવ કન્‍યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતી રાંદલની માતા

શિવાજીનું હાલરડું

છબી
આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ બાળુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા બોલે ! શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજીબાઈ ઝૂલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત માતાજીને મુખ જે દી થી, ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને …. પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ કાલે કાળા જુધ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને …. ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ રેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને …. પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર કાયા તારી લોહીમાં ના’શે ઢાંકણ તે દી’ ઢાલનું થાશે …. શિવાજીને …. ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ તે દી તો હાથ રે’વાની રાતી બંબોળ ભવાની …. શિવાજીને …. લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા…. શિવાજીને …. આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ, તે દી તારા મોઢડા માથે ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને …. આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર, તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે …. શિવાજીને …. આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ તે દી તાર